Sunday 26 May 2013

ગીરનારમાં ૧૨ વર્ષ ઉગ્ર તપશ્વર્યા કરનાર ઓલિયો - મેકરણ દાદા

~~~ગીરનારમાં ૧૨ વર્ષ ઉગ્ર
તપશ્વર્યા કરનાર ઓલિયો ~~~
કચ્છના કાવડિયા સંતવર્ય મેકરણ દાદા
કચ્છના કાવડિયા સંતવર્ય મેકરણ દાદા


કચ્છ સંતસભર પુણ્યભૂમિ છે.
કચ્છના કાવડિયા સંત તરીકે દાદા મેકણ
સુવિખ્યાત છે. તેઓની તપશ્વર્યા અને
અનેકવિધ ઐશ્વર્યોની વાતો આજે પણ
લોકોના હૈયામાં ધરબાયેલી છે. સામાન્ય
રીતે સંતોનું અવતરણ લોકહિતાર્થો થતું
હોય છે. મેકણ દાદા માનવ સેવાને પ્રભુ
સેવા જ માનતા.
કચ્છમાં નાની ખોંભડી ગામે તેમનો જન્મ
માતા ફાયાબાઇની કુખે થયો. પિતાનું નામ
હળદોરજી,માતાએ પુત્રનું નામ
મેકોજી રાખ્યું. મેકોજી લગભગ બાર
વરસના થયા ત્યારે પિતાએ તેમને ગાયોને
ચરાવવાનું કામ સોંપ્યું. બીજી તરફ
પોતાના મકાનને રિપેર કરાવવા માટે
જ્યારે મજૂરો દ્વારા ખોદકામ
કરાવી રહ્યા હતા ત્યારે
જમીનમાંથી વસ્તુઓ
ભરેલી પોટલી નીકળી.આ પોટલીમાં તુંબડી,
પતર, ચાખડી, પાવડી, ટોપી, ચુંદડીને જોઇ
હળદોરજી આશ્ચર્ય પામ્યા. તેમણે આ
બધી વસ્તુઓ કોઇ સંતને આપી દેવા વિચાર્યું.
પરંતુ જ્યારે મેકોજીએ આ વસ્તુઓ
નિહાળી ત્યારે આ વસ્તુઓ પોતાની જ છે
એવો દાવો કર્યો.
બાલ્યાવસ્થાથી જ તેમનો વૈરાગ્યવાન
સ્વભાવ હતો. બાળપણથી જ ભજન ભકિત
કરવાનું તેમનું સવિશેષ અંગ હતું. તેઓએ
કચ્છમાં અનેકાઅનેક ઉત્કૃષ્ટ
પદોની રચના કરી છે તેઓ લખે છે કે -
પીર પીર કુરો કર્યોતા, નાંય
પીરેજી ખાણ
પંજ ઈન્દ્રિયું વસ કર્યો ત પીર થીંઓ પાણ
પીર જન્મતા નથી, પીરોની કોઇ ખાણ
નથી કે જેમાંથી પીર નીકળે પરંતુ કોઇપણ
માનવી પોતાની પાંચ ઈન્દ્રિયને
વશમાં રાખે તો પીર કે
પછી યોગી બની શકે. તેમણે સાંસારિક
જીવનનો ત્યાગ
કરી કચ્છના માતાના મઢના મહંત
કાપડી સાધુ ગંગારામ પાસે દિક્ષા લીધી.
ત્યારબાદ તેઓ સિંધમાં તથા ખાસ
તો સૌરાષ્ટ્રમાં તીર્થ સ્થાનોમાં ઘૂમ્યા.
ગીરનારમાં ૧૨ વર્ષ ઉગ્ર
તપશ્વર્યા આદરી માત્ર કંદમુળ અને
ઝરણાના પાણી પર દેહ નિભાવ કરતા.
ગિરનારની પરિક્રમા સમયે તેમને ગુરૂ
દત્તાત્રેયે એક કાવડ આપી. ભૂખ્યાને અન્ન
અને તરસ્યાને પાણી આપતા રહે
તેવા આશીર્વાદ આપ્યા. તેમને
કાવડવાળા કાપડીની ઉપમા મળી.
સૌરાષ્ટ્રમાં બિલખા મધ્યે તપ કર્યું.
ત્યારબાદ કચ્છ અને વાગડમાં જંગી અને
પાવર પટ્ટીના લોડાઇ ગામે પધાર્યા.
ત્યારે તેમને સંત નિર્મલગિરિનો ભેટો થયો.
આ ધ્રંગ ગામે પધાર્યા.સંત મેકણ
દાદાની જીવનકાર્યની કર્મભૂમિ તે ધ્રંગ.
ભુજ તાલુકાનું આ ગામ ભુજથી ૪૦ કિ.મી.
ના અંતરે છે. ધ્રંગ આવતી વખતે દશનામી સંત
માયાગિરિજી સ્વામી તથા માતાજી વીર
થયો. કચ્છના રાજવી મહારાવ દેશળજીએ
દાદા મેકણનું ગુરૂપદ સ્વીકારેલું. ‘‘જીનામ-
જીનામ’’નો આલેખ જગાવનાર
કચ્છના કબીરનું ઉપનામ દાદાને મળેલું છે.
તેઓ સાિત્વક પદાવલિ માનવતાની શીખ
આપે છે –
જીયો ત ઝેર ન થિયો સક્ક થિયો મુંજા સેણ
મરી વેંધા માડુઆ પણ સેંધા ભલેંજા થેણ
તેઓએ જીવનમાં સાકર
જેવા મીઠા શબ્દો બોલીને સદવર્તન
કરવાનું
જણાવ્યું.મીઠા શબ્દોથી મનુષ્યના સંબંધો વિ
રહે છે. માનવી આ ફાની દુનિયા છોડી જાય
ત્યારે એણે વદેલા સારા શબ્દોને
લોકો વાગોળતા જ રહે છે.આ ધ્રંગની ઉત્તરે
અફાટ રણ આવેલું છે. આ
રણમાં ભૂલો પડેલો માનવી ભૂખ તરસથી મૃત્યુ
ન પામે તે સદ્ભાવથી સંત મેકણે
મોતિયો નામે કૂતરો અને લાલિયો નામે
ગધેડો આ બન્નેને સેવાર્થો તૈયાર કર્યા.
ગધેડાની પીઠ પર જે
છાંટો બાંધતા તેમાં એક તરફ પાણીનું માટલું
રહેતું તો બીજી તરફ
બાજરાના રોટલા રખાતા.
મોતિયો ભૂલા પડેલા વટેમાર્ગુઓને
શોધી કાઢતો. લાલિયો તેની સાથે
રહેતો – પ્રવાસીઓ કે ભૂલા ભટક્યાના જીવ
બચી જતા.તેઓ આ પ્રાણીઓ માટે કહેતા કે –
લાલિયો મુંજો લખણવંતોને
મોતિયો જેડો ભા,
મૂછારાપર ધોરે ફગાઇયાં, ઇનીજી પૂછ મથાં.

મારો લાલિયો લખણવંતો છેતો મોતિયો ક્ય
આ બન્ને ભિન્ન ભિન્ન જ્ઞાતિમાં જન્મ્યા છે
છતાં પણ બન્ને ભાઇઓ જેવા છે. ક્યારેક મને
થાય છે કે મરદ-મૂછાળાઓને પણ આ
બન્નેના કાર્યો જોતાં એમના મૂછરપથી જાણે
ઓળ ધોળ કરી મુકું ! કચ્છના આ અમર સંતે સવંત
૧૮૮૬ ના આસો વદ -૧૪ ના દિવસે ધ્રંગ
ગામે સમાધિ લઇ જીવનલીલા સંકેલી લીધી.
દાદાની સમાધિની સામે જેમણે મુસ્લિમ
ધર્મ સ્વીકારેલો તે પીર
પતંગશાહનો કૂબો છે.
દાદાની સાથે સમાધિ લેનાર
સાથીઓમાં આહિરાણી લીરબાઇ , સાધુ
સુંદરદાસ, જોષી પ્રેમજી મહારાજ,
ઠકરાણા પ્રેમાબા, કંથળ સુથાર, આહિર
વીઘો, પ્રેમાબા જાડા, ખોઅચજી રાજપૂત,
તુબર વાઘોજી, રામદે પક્ષેત્રા,
મોકાના રાજપૂત, દશનામી સંત
માયા ગિરજિીએ એમની સાથે જીવતે
સમાધિ લીધેલી.
દાદાના અખાડાની બહાર લાલિયા-
મોતિયાની પણ સમાધિ આવેલી છે.
આવા ભકિતધામના દર્શને હિન્દુ-મુસ્લિમ
સૌ કોઇ આવે છે.
-----------------------------------------------
આપણા સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષોને
કારણે ઘણી પાવન છે. તેમજ ગુજરાતના અન્ય
પ્રદેશોમાં પણ મહાન સંતો થઈ ગયા છે.
એવા એક મહાન ઓલિયા સંત
શ્રી દાદા મેકરણ ક્ચ્છ પ્રદેશ
માં ૧૭મી સદીમાં થઈ ગયા હતાં. સંત
દાદા મેકરણ નો જન્મ ક્ચ્છ જીલ્લાના ધ્રંગ
ગામે ભાટ્ટી રાજપૂત હરગોપાલજીના ઘરે
થયો હતો. તેમના માતાનું નામ પન્તાબાઈ
હતું. દાદા મેકરણ જન્મ
બાપા જલારામની જેમ લોકકલ્યાણઅર્થે જ
થયો હતો. દાદા મેકરણ બાળપણનું નામ
મોકાયજી હતું, દાદા નાનપણથી જ
લોકસેવામાં અને
પ્રભુભક્તિમાં રચ્યાપચ્યા રહેતા તેમાં તેમને
અનેરો આનંદ
આવતો હતો આથી પિતાના પારંપારિક
ધંધામાં રસ ન દાખવી માત્ર
૧૨વર્ષની ઉંમરમાં જ દાદાએ સાધુ તરીકે
દીક્ષા લીધી હતી અને
મોકાયજી માંથી મેકરણ થયા અને
ગીરનારી સંતો ની આજ્ઞા અને
ઈચ્છા થી ક્ચ્છ ના રણ પ્રદેશ માં પોતાનું
સેવા કાર્ય વિસ્તાર્યું. તેઓ જાતે
પોતાના ખભા પર
પાણીનાં માટલાં તથા રોટલા ભરેલી કાવડ
લઈને પગપાળા જ વિચરતા રહેતા અને
કચ્છના રણમાં ભૂખ્યા તરસ્યા લોકોને
શોધી શોધીને ભોજન તથા જળ
પીવડાવી તેઓની સેવા કરતા હતા.
દાદા અંહિ શ્રી ગુરુ
ગંગારાજા પાસેથી ઉપદેશ લીધો અને
કાપડી પંથ ને વધુ પ્રકાશમાં લાવ્યા.
દાદા મેકરણ મહાન સમર્થ સંત હતા.
જેથી તેમના કાપડી પંથ માં એક
નવી શાખા શરું થઈ જે
હાલમાં મેકાપંથી નામે ઓળખાય છે.
એક વખત તીર્થ યાત્રા દરમિયાન
હરિદ્વારમાં પવિત્ર ગંગામાં સ્નાન
કર્યા પછી કાવડમાં ગંગાજળ ભરીને
દાદા સાધુ-સંતોની જમાત સાથે જતા હતા.
તે વખતે માર્ગમાં કોઈ જંગલી પ્રાણીએ એક
ગધેડા પર હિંસક હુમલો કરી તેને ઘાયલ
કર્યો હતો અને ગધેડો જીવવા માટે
તરફડતો હતો. દાદા મેંકરણથી આ
કરુણતા જોવાઈ નહીં આથી તેમણે તરત જ
પોતાની કાવડમાં ભરેલું થોડું ગંગાજળ
ગધેડા પર છાંટયું અને થોડું ગધેડાને
પીવડાવ્યું તથા તેના ઘાવ સાફ કર્યાં. આમ
કરવાથી ગધેડાને થોડી પીડામાં રાહત
થઈ. આ જોઈને જમાતના સાધુ-સંતો દાદા પર
ફિટકાર વરસાવવા,
તિરસ્કારવા લાગ્યા અને
બોલવા લાગ્યા કે તમે આ શું કર્યું ? પવિત્ર
ગંગાજળ ગધેડાને પાઈને તમે ગંગાજીનું
અપમાન કર્યું છે. સમર્થ દાદા મેંકરણ જરાય
વિચલિત થયા વગર સાધુઓને કહ્યું. “પીપરમેં
પણ પ્રાણ નાય, બાવરમેં બ્યોં, નીમમેં ઉ
નારાયણ તો કંઢેમેં (ગધેડામાં) ક્યોં?”
અર્થાત જો પીપળામાં જે પ્રાણ છે તે
બાવાળમાં પણ છે, જો લીમડામાં નારાયણ
હોય તો આ પ્રાણીમાં કેમ નહી” આ
સાંભળી જમાતના સાધુઓ અવાક થઈ ગયાં અને
દાદાના ચરણે પડી ગયા.
આપછી ગધેડો દાદા સાથે રહેવા લાગ્યો જેનું
નામ દાદાએ ‘લાલીયો’ રાખ્યું હતું સમય
જતા એક કુતરો પણ દાદા સાથે
રહેવા લાગ્યો તેનું નામ દાદાએ ‘મોતીયો’
રાખ્યું હતું. આમ
લાલિયા તથા મોતિયાની જોડી જામી ગઈ
અને આ શ્વાન અને ગધેડો દાદાની સાથે
સેવાકાર્યમાં જોડાય ગયા હતાં.
દાદાની ઉંમર થતા લાલીઓ પાણી,
રોટલા નો ભાર વાહન કરતો અને
મોતીયો ગંધ
પારખવાની શક્તિ દ્વારા લાલિયાને
માર્ગ નિર્દેશન કરી રણમાં અટવાયેલા,
ભૂખ્યા તરસ્યા લોકોને શોધી ભોજન
તથા પાણી આપતા, આમ દાદા અને તેના બે
વફાદાર સાથીદારો સાથે સમગ્ર જીવન
ક્ચ્છના રણમાં લોકોની સેવામાં વિતાવ્યું
હતું. અને અબોલ પ્રાણીઓ માં પણ
સમજદારી અને વફાદારી હોય છે તે દાદાએ
દુનિયાને પ્રમાણ આપી દીધું હતું.
મેકરણ દાદાનું સમાધી સ્થળ:
આમ દાદાએ પોતાના જીવનમાં સતત
૬૫વર્ષ
ક્ચ્છના રણમાં લોકસેવામાં વિતાવી સવંત
૧૭૮૬ માં ધ્રંગલોડાઈ સ્થળે તેમના અન્ય
૧૧ શિષ્યો સાથે
જીવતા સમાધી લિધી પાછળથી લાલદાસ
અને મોતીરામ
નામના દાદાના સાથીદારો એ પણ
સમાધી લીધેલી. આજે પણ આ સ્થળે ૧૧
સમાધી ના દર્શન છે. તેમની શિષ્ય
પરંપરા કાપડી શાખા થી ઓળખાય છે

પરબધામ -ઈતિહાસ

~~~પરબધામ -ઈતિહાસ~~~

"સત્ દેવીદાસ અમર દેવીદાસ"
દેવીદાસ બાપુનું પરબ
દેવીદાસ બાપુનું પરબ














ઈસુ સનના ૧૮માં સૈકાના સમય પ્રવાહો સૌરાષ્‍ટ્ર માટે કપરા પસાર થયાનું ઈતિહાસકારો નોંધે છે.

આ સમયે પ્રર્વતેલા દુષ્‍કાળથી કચ્‍છ અને સિંધમાંથી દુકાળગ્રસ્‍ત માનવ સમુદાય સૌરાષ્‍ટ્રમાં ઉતરી પડેલો અને ભુખ તરસ સંતોષવા ચારે તરફ ફરતો રહેતો. વારંવાર પડેલી કુદરતી આફતોના આ કપરા સમયમાં સોરઠના અનેક સંતોએ પોતાના સ્‍થાન અમર કર્યા છે અને દરેક માનવીને એક સરખો ગણી, નાતજાતના ભેદભાવ ન રાખવા, ભૂખ્‍યાને આશરો અને રોટલો આપવાનો, માનવીના સેવા ધર્મનું અનુકરણ કરવાનો સંદેશો આપી ગયા છે.
જલારામ ભગતનું વીરપુર, ગીગા ભગતનું સતાધાર અને દેવીદાસ ભગતનું પરબ માનવ સેવાનો સંદેશો આપતા જાગતા સ્‍થાન છે. જે પાપને નિવારે છે, હિતની યોજના કરે છે, ગુણોને પ્રકટ કરી પ્રકાશ આપે છે, આપદ્ વેળાએ આશરો અને સહાય કરે છે આવા દૈવી ગુણોવાળા માનવને આપણે સંતો કરીએ છીએ તેમના વિષે શું લખી શકાય ? સંતોના આ જાગતા સ્‍થાનકોની માનતા પુરી થતા દર્શન અને પ્રસાદ લેવા આવતો જન સમુહજ પ્રત્‍યક્ષ પ્રમાણ છે.

જૂનાગઢથી ૪૦ કીલોમીટર રોડ રસ્‍તે પરબનું સ્‍થાન સૌરાષ્‍ટ્રની સિદ્ધભૂમિની શોભા છે. આ સ્‍થાન મહાભારત કાળનું સરભંગ ઋષિનો પ્રાચીન આશ્રમ હોવાનું મનાય છે. આ આશ્રમની પશ્ચિમે રાણપુર પૂર્વમાં વાવડી તેમજ આજુબાજુ ભેંસાણ અને ખંભાળીયાના આ ગામોનો રાજમાર્ગ આ સ્‍થાનક પાસેથીજ નીકળે છે.
બિરદ અપના પાળતલ,

પૂરન કરત સબ આશ જાકો જગમેં કોઈ નહિ, તાકો દેવીદાસ

આવી પ્રચલિત લોકોક્તિના પરબના આ સ્‍થાનકનું બે સૈકા પૂર્વે ચૈતન્‍ય જાગતું કરનાર દેવીદાસનું સંતજીવન પૂર્વેનું નામ દેવો ભગત હતું તેમના પિતા પુંજા ભગત અને માતા સાજણબાઇ ભાવિક શ્રદ્ધાળુ રબારી દંપ‍તી હતા. દેવા ભગતે માનવસેવાની શરૂઆત છોડવડી ગામેથી શરૂ કરી હતી. તેમના ગુરૂ જેરામભારથી ગિરનારના સંત મહાત્‍મા હતા અને તેમા લામડીધાર ઉપર તેમના બેસણા હતા.

ગિરનારજીને ફરતા પર્વતો છે તેમા ઉત્તરેથી જતા ઉત્તર રામનાથ, બાબરીયો, ખોડીયાર, લાખામેડી, કાબરો, કનૈયો અને ગધેસંગ નામના પર્વત છે. ગધેસંગ પર્વતનો આકાર સીધો સપાટ દિવાની શગ જેવો છે તેની પાછળ લામડીધાર છે. સંત જેરામભારથીના આ ધાર ઉપર બેસણા હતા. આ ઉપરાંત દક્ષીણેથી જતા દક્ષીણ રામનાથ, ટટાકીયો, ભેસલો, અશ્વસ્‍થામાનો પહાડ, દાતારનો પહાડ, લક્ષ્‍મણ ટેકરી, મંગલાચલ, રેવતાચલ, જોગણીયો વિગેરે ગિરિ પર્વતો વચ્‍ચે ગિરનારજી છે.

આ રમણીય પર્વત શૃંગો વચ્‍ચે થઈને હજારો વર્ષથી ભાવિકો પુરાણા અને પવિત્ર ગિરિનારાયણ ગિરનારજીને ફરતી પરિક્રમા કરે છે.
આ ભાવિક યાત્રાળુઓનો પ્રથમ વિશ્રામ ઉત્તર રામનાથ ઉપર આવેલ જીણાબાપુની મઢીએ થતો હતો. જીણાબાપુ સરળ પ્રકૃતિના વયોવૃદ્ધ સાધુ હતા. તેથી આ મઢીએ ઘણા સંતો પધારતા હતા. તેમના સમકાલીન પ્‍યારાબાવા, લોહલંગરીજી, યોગીની માતા, કમંડલકુંડના હંસગીરીજી, મુસ્‍લીમ સંત નુરાસાંઈ અને જેરામભારથી વિગેરે સંતો હતા.

દેવા ભગત આ સંત મહાત્‍મા વચ્‍ચે શ્રદ્ધાથી યાત્રીકોની સતત સેવા કરતા રહેતા. આથી એક દિવસ દેવા ભગતની શ્રદ્ધા અને માનવ સેવાથી આ ગિરનારી સંત જેરામભારથી પ્રસન્‍ન થયાં અને દેવા ભગતને કહે કે, દેવા ભગત આજસે તુમ દેવીદાસ હોતે હો. તુમ એક યોજન દુરી કે પાસ જાઓ, લોગ સરભંગ ઋષિ કા આશ્રમ બતાતે હૈ વહાં પર દત્ત મહારાજકા ધુના કંઈ બર્ષો સે સુના પડા હૈ, ઉધર જાઓ ઔર સુનો સબસે બડા ધરમ યહી હૈ કી અભ્‍યાગતો કી, અનાથો કી સેવા કરના. જાઓ વહાં ટુકડા રોટી દેતે રહેના.

આવા પ્રસન્‍ન થયેલ ગુરૂના આશીર્વાદ સાથે અપરિગ્રહ વ્રત રાખીને આ સ્‍થાનકે પહોંચવા દેવા ભગતે તરતજ પ્રસ્‍થાન કર્યું. સરભંગ ઋષિના પુરાતન આશ્રમ સમીપે દેવીદાસબાપુ આવ્‍યા, એ સમયે અહીં મંદિર કે દેવમુર્તિ જેવું કંઈ ન હતું લીમડા નીચે મેકરણ કાપડીનો ધુણો અને ત્રિશુળ હતાં. તેમજ ત્રણ અણઘડાયેલ આરામગાહ હતી. તેમણે પવિત્ર ધુણામાં અગ્નિ પ્રગટાવી ધુણો ચેતનવંતો કર્યો અને લીમડા ડાળે ધજા ફરકતી કરી આ સ્‍થાનકને આપણે આજે દેવીદાસજીની પરબના નામથી ઓળખીએ છીએ.

બસો વર્ષ જૂના આ સમાધી મંદિર ઉપર નૂતન મંદિર આ જગ્‍યાના મહંતશ્રીની દેખરેખ નીચે આકાર લઈ રહ્યું છે. અહીં દાદા મેકરણનો – સાદુદ પીરનો ઢોલીયો, પરબકુંડ, કરમણપીર અને દાનેવપીરની સમાધી અહીં છે.

સત્ ધરમને પામવા કરવા અદ્યતમ નાશ
ઘર ‘પરબ‘ પર પ્રગટયા નકલંક દેવીદાસ

અનેક યાત્રાળુઓ પરબના આ સ્‍થાનને વંદન કરવા આવે છે અને પ્રસાદ લ્‍યે છે. "સત્ દેવીદાસ અમર દેવીદાસ"


Source: www.fb.com/AHIRTHENAMEISENOUGH

આવી રીતે કૃષ્‍ણ અવતાર "દ્વારકાધીશ" કહેવાયા~

~~~આવી રીતે કૃષ્‍ણ અવતાર "દ્વારકાધીશ" કહેવાયા~~~


શ્રી કૃષ્‍ણ દ્વારકાધીશ કઈ રીતે બન્‍યા તે હકીકત જાણવા જેવી છે. કંસના સસરા જરાસંઘે મથુરા પર ૧૭ હુમલા કર્યા. શ્રી કૃષ્‍ણની આગેવાની હેઠળ મથુરાવાસીઓએ આ દરેક આક્રમણનો અડગ રહીને સામનો કર્યો. શ્રી કૃષ્‍ણને એ વાતનો ખ્‍યાલ આવી ગયો કે હંસ અને ધિમક જરાસંઘની મુખ્‍ય તાકાત છે. પોતાની દીર્ઘદ્રષ્ટિ વાપરી શ્રી કૃષ્‍ણે આ બન્નેને મારી નખાવ્‍યા. આ બન્નેના મોતથી જરાસંઘનો આત્‍મવિશ્વાસ ડગી ગયો અને તેનું સૈન્‍ય ડઘાઈ ગયું.

પરંતુ જરાસંઘે હિંમત કરી ફરી એક વખત મથુરા પર હુમલો કર્યો. આ સમયે યાદવસભાના વિક્રાડુએ કૃષ્‍ણને કડવું સત્‍ય જણાવ્‍યું, “કૃષ્‍ણ અમને તમારા પ્રત્‍યે અનન્ય પ્રેમ છે. આપના ઋણ અમે ચૂકવી શકીએ તેમ નથી. આ આક્રમણ આપને કારણે જ થઈ રહ્યા છે. મથુરાના લોકો પરેશાન થઈ ગયા છે. અહીં લોકોનો વિકાસ રુંધાઈ રહ્યો છે. આ સમયે વધુ એક આક્રમણનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ સંજોગોમાં લોકોની શાંતિ ખાતર આપ અમને છોડી જતા રહો. આપના હિતેચ્‍છુ લાગણીના આવેશમાં આપની પાછળ ઘેલા થઈ શકશે નહીં. આપના ભક્ત તરીકે હું આપને આ વિનંતી કરી રહ્યો છું.” આ શબ્‍દો સાંભળી સમગ્ર યાદવસભામાં સન્નાટો છવાઈ ગયો વિક્રાડુના આ સુચનને શ્રી કૃષ્‍ણના પિતા વાસુદેવે ટેકો આપ્‍યો. શ્રી કૃષ્‍ણને પરિસ્થિતિની ગંભીરતા સમજાતા તેમણે મથુરા છોડવાનું નક્કી કર્યું. તેમણે યાદવોને જણાવ્‍યું કે મેં તમને સંસ્‍કૃતિનું જ્ઞાન આપ્‍યું છે. એ મુજબ જીવનનું આચરણ રાખશો, હું મથુરા છોડી દ્વારકા જઈ રહ્યો છું. ત્‍યાર બાદ ગિરનાર પર્વત ઓળંગી શ્રી કૃષ્‍ણએ પ્રભાસ પાટણ (હવે, સોમનાથ)ની નજીક દ્વારકા નગરીની (સુવર્ણ નગરી દ્વારકા) સ્‍થાપના કરી. દ્વારકા આવ્‍યા પછી પણ ધર્મને પાયામાં રાખીને રાજ્ય સ્‍થાપવાનો તેમનો મુખ્‍ય ઉદેશ રહ્યો. તેમણે દ્વારકાને ધર્મને આધારિત રાજ્ય તરીકે પ્રસ્‍થાપિત કર્યું. દ્વારકાની ખ્‍યાતિ ધર્મરાજ્ય તરીકે ઠેર-ઠેર પ્રસરી અને આમ, દ્વારકાના રાજા તરીકે તેઓ ‘‘શ્રી દ્વારકધીશ‘‘ તરીકે ઓળખાયા. શ્રી કૃષ્‍ણના જીવનનું મહત્‍વ સમકાલીન નહીં પણ સર્વકાલીન રહ્યું છે. આથી જ આજે ૫૦૦૦ વર્ષ પછી માત્ર વૈષ્‍ણવો (વિષ્‍ણુ અને શ્રી કૃષ્‍ણના ભક્તો) જ નહીં પરંતુ દરેક લોકો દ્વારા કૃષ્‍ણજન્મ ઉજવવામાં આવે છે. તેમની જીવનશૈલી દરેક સમયે અડીખમ રહી શકી છે.

"જય દ્વારિકાધીશ " 

Thursday 23 May 2013

~~~આહિરની દાતારી~~~


~~~આહિરની દાતારી~~~
-મેપા મોભની દિલાવરી અને
ઉદારતાની વાર્તા
સાત ખોટ્યના એકના એક
લાડકાની લાશ જોતાં બારોટણનું
કાળજું વાંસ ફાટે એમ ફાટી પડ્યું:
‘મારા બાપ! મારા આધાર!’ અને
મરેલા દીકરાને જનેતા વળગી પડી.
આખા ત્રાપજમાં અરેરાટી થઇ ગઇ…!
તળાજા ત્રાપજના મેપા મોભના ત્રણસ
ખેતરમાં ચીભડાંના વેલા જામ્યા છે.
એટલે મેપાભાઇ મોભનાં છોકરાઓ
સાથે કુંભણ
ગામનો બારોટનો દસની ઉંમરનો અભ
ચીભડાં ગોતે છે. હેડી-
હેડીનાં છોકરાઓ વચ્ચે
પાકેલાં ચીભડાં ગોતવાની હરીફાઇ
જામી છે.
અચાનક
બારોટના છોકરા અભાના મોંમાંથી
નીકળી ગઇ: ‘ઓઇ માડી…ઇ!’
છોકરાં દોડીને અભા પાસે આવ્યાં…
જોયું તો અભાની આંગળીએ
કાળોતરો નાગ વળગી પડ્યો છે!
કિશોર અવસ્થાનાં છોકરાઓ
મુઢ્ઢીઓ વાળીને
ચીસો દેતાં ભાગ્યાં… ‘અભાને એરું
કરડ્યો…’ સીમા આખી સ્તબ્ધ
બની ગઇ… વિધવા માનો એકનો એક
લાડકો અભો… દોડતો-
દોડતો ગામના ઝાંપામાં આવ્યો અને
ત્યાં તો ઝેર એને ગ્રસી ગયું.
સાત ખોટ્યના એકના એક
લાડકાની લાશ જોતાં બારોટણનું
કાળજું વાંસ ફાટે એમ ફાટી પડ્યું:
‘મારા બાપ! મારા આધાર!’ અને
મરેલા દીકરાને જનેતા વળગી પડી…
આખા ત્રાપજ ગામમાં અરેરાટી થઇ
ગઇ…! પરગજું અને દયાળુ
એવા મેપા મોભને માથે ધરમ કરતાં ધાડ
ઊભી થઇ.
‘કેવી અણધારી થઇ?’
બારોટ કોમની એક
વિધવા નોંધારી, દુકાળગ્રસ્ત બાઇને
મેપા મોભે ધરમની બહેન કરીને
આશરો દીધો હતો. આજ એ જ
બાઇનો દીકરો અભો પોતાના આંગણે
ફાટી પડ્યો હતો…મેપો એટલે
મુઠી ઊંચેરો માનવી…
મેપાને ઘરેથી આહીરાણી પણ
અમીરાતનો અવતાર…
ધણીની આબરૂ માથે છોગાં ચડાવે
એવી ગૃહિણી…!
મેપા મોભને અને કુંભણ ગામના મોભ
આહીરોના બારોટને ભારે મન-મેળ.
બારોટજી મેપાને આંગણે આવે,
મેપો મોભ
એની મોંઘી મહેમાનગતિ કરે.
ડેલીનાં ખાનામાં ડાયરા જામે.
દુહા અને છંદની અને
વાર્તાઓની ઝકોળ બોલે. મેપો મોભ
બારોટને બાર માસનાં નાણાં અને
દાણા કુંભણ મોકલી આપે. પણ આ બંને
માનવીઓનાં હેત-પ્રીત અને લેણા-
દેણી ઉપર જાણે કોઇની નજર
લાગી… બારોટ જુવાન અવસ્થામાં જ
માંદા પડ્યા અને બેચાર
દિવસની માંદગીમાં જ
‘ગામતરું’ (મૃત્યુ) કરી ગયા…!
બારોટનો દસ વરસનો એક જ
દીકરો અભો નબાપો! અને
નોધારો થઇ ગયો!
અભાની જનેતા ઉપર
આફતનો દરિયો ફરી વળ્યો.
ધણીના પ્રતાપે આંગણા બહાર પગ ન
મૂકનાર બાઇ ભાંગી પડી. ઓછામાં પૂરું
હતું તે એ જ વરસે દુકાળ પડ્યો…‘બહેન!
તું ત્રાપજ જા…!’ બારોટપત્નીને
કોઇકે સંભારી દીધું: ‘બારોટજી અને
મેપા મોભને સારી ભાઇબંધી હતી.
તારા દુ:ખનો ત્યાં નીવેડો આવશે
બહેન!’
અને બારોટપત્ની દસ વરસના પુત્ર
અભાને આંગળીએ વળગાડીને
ચાલી નીકળી. ત્રાપજના પાદરે
આવતાં બાઇએ મનસૂબો કરી લીધો કે
જો મેપાભાઇના મોઢા પર હેત નૈં
દેખાય
તો પછી ગોપનાથના દરિયામાં સમા
જવું.
ગામના ઝાંપે મેપા મોભનું ઘર પૂછીને
બાઇ મેપાની ડેલીએ આવી…
આંગણામાં ગાયભેંસોનાં ટોળાં અને
આવળ-ગોવળ… ‘અરે રામ! આવું
સુખી ખોરડું
મારા જેવી દુખિયારીનો ભાવ
પૂછશે?’
‘વયાં આવો બહેન…’ ઉમળકાથી બાઇ
પગથિયાં ઊતરીને ફળીમાં આવી અને
છોકરાના માથા પર સગી માસી હાથ
ફેરવે એમ હેતાળવો હાથ ફેરવીને હસી:
‘ભલે આવ્યાં મારાં બહેન!
વયાં આવો ઓરડામાં, હમણાં આહીર
આવશે હોં…’ અણધાર્યો આદર
મળતા બારોટપત્નીની આંખમાં આભાર
શિરામણનો વખત થયે મેપો મોભ
બજારેથી ઘેર આવ્યા… ઘરવાળીએ
બધી વાત કરી…
‘અરેરે મારા બાપ! મને એકા’દ
સંદેશો પણ મોકલ્યો હોત. બારોટદેવ
તો મારા કાળજાનો કટકો હતો બોન
તારા માથે આવાં સંકટ પડ્યાં અને મેં
મારા આંગણે સુખથી રોટલો ખાધો?
મારા રોટલામાં ધૂળ પડી…
મારી ભાઇબંધી લાજી…’
મેપાની આંખો પણ ભીની બની:
‘સાંભળ્ય બોન! આ પળેથી તું
મારી ધરમની બોન! અરે
માજણી બોન! હવે રોકાઇ જા બાપ!
તારા દીકરાને મોટો કર્ય, મારે
તો મોરલીધરનો પ્રતાપ છે બોન!
આખી જિંદગી તારો રોટલો મળી ર
‘ભાઇ! આખી જિંદગી?’‘હા બોન!
ભાઇને ઘેર બોન રોકાય,
જિંદગી ગાળે એમાં કાંઇ નવાઇ નથી.
ભાઇનાં સુખમાં બોનનો વણલખ્યો ભા
છે. માટે બોન! કોઇ જાતની ઓછપ
વગર રહી જા… તારો અભો કાલ્ય
સવારે મોટો થઇ જાશે અને
તારા સંકટનો નિસ્તાર થાશે. અને
મેપા મોભના ઘરેથી આહીરાણી બાર
પોતાની સગી નણંદની જેમ સાચવે છે.
દિવસો સુખિયામાં વીતે છે.
મેપા મોભનાં તેવતેવડાં છોકરાં સાથે
બારોટનો છોકરો અભો પણ
ચીભડાં ખાવા ખેતર ગયો. અભાએ
પાકેલું ચીભડું લેવા વેલામાં હાથ
નાખ્યો અને એ જ વેળાએ
વેલાના છાંયામાં પડેલો કાળતરો અભા
વળગી પડ્યો.
અભાના વાંકડિયા વાળને ચૂમીઓ
ભરતાં-ભરતાં નિષ્પ્રાણ અભા પાસે
માએ જે રુદન આદર્યાં એનાથી આખું
ત્રાપજ હીબકે ચડ્યું. બાઇ
છોકરાની મૈયતને છોડતી નથી.
મેપાભાઇ મોતીની આંખો વરસી:
‘હે મોરલીધર! મારે જ આંગણે એક
નોધારી દુખિયારી બાઇનો એકનો
બેટડો વધેરાઇ ગયો?
મારા ક્યા પાપ?
‘આહીરાણી!’ મેપા મોભે
ધણિયાણીને એકાંત ખૂણે
બોલાવી:‘આ બાઇનાં દુ:ખ
મેંથી નથી જોવાતાં…!
અરર… એની ઉપર કેવી થઇ, બાઇ!’‘હુંય
સમજું છું આહીર! પણ કુદરતનો કોપ!
રંડવાળ્ય
બાઇનો બચ્ચારીનો આયખો ધૂળ થઇ
ગયો હોં!’‘આ બાઇનું દુ:ખ
ભાંગવાનો મને વિચાર આવે છે.
પણ…’‘બોલો અટકી કેમ ગયા?’
ધણિયાણીએ ધણી સામે જોયું.
‘એને એક જ દીકરો હતો કાં?’
‘હા, બચ્ચારીને એક જ હતો…’
‘આપડા નાનેરા દીકરા વાઘા જેવડો ન
‘હા, વાઘો અને અભો તેવતેવડા હતા,
પણ અભો તો બચારો ગામતરું
કરી ગયો.
’ બાઇની આંખો ઊભરી: ‘બાઇનું રોણું
મારાથી નથી સંભળાતું આહીર!’
‘એનું રોણું બંધ થાય એવો ઇલાજ મને
સૂઝે છે આહીરાણી!’
‘બોલો શો ઇલાજ છે?’
‘પણ તારો જીવ ચાલશે?’
‘કેમ પૂછવું પડ્યું?’
‘વાત બહુ અઘરી છે એટલે…’
‘અઘરી હશે તો તમારી ઓથ છે,
પડતો ડુંગર પણ ઝીલી લઇશ! બોલો,
અચકાવ મા…’
‘તો આપણો દીકરો વાઘો ઇ બાઇને
દાનમાં દઇએ…’
પહાડની ટૂક સમી અડીખમ
દેખાતી આહીરાણી ક્ષણાર્ધ માટે
ખળભળી ગઇ.
કાળજાના કટકા સમો વાઘો એક
યાચક વરણને આપવો? દીકરાને
હૈયેથી કેમ વછોડવો? પણ વળતી પળે
વીરાંગના થઇને ઊભી રહી.
દરિયા જેવડી આબરૂ ધરાવતા પતિનું
વેણ કેમ લોપવું?
ધસી આવેલાં આંસુ આડે પાળ બાંધીને
આહીરાણી હસતે મોઢે બોલી: ‘ભલે
આહીર! તમારી ઉદારતાને શગ ચડશે
અને દીકરાના દાન કર્યાની વાત
દુનિયામાં અમર રહેશે…’
‘તું ખુશીથી હા પાડછ બાઇ?’
‘હા, હસી ખુશીથી… જાવ… બાઇને
છાની રાખો…’
‘રંગ તને આહીરાણી!’
ઊપડતા પગે મેપો મોભ
ઓસરીમાં આવ્યા. દીકરા વાઘાને
બોલાવ્યો અને રડતી-
કકળતી બારોટાણીના ખોળામાં વા
મૂકીને કહ્યું: ‘છાની રહે બોન! આ
તારો બીજો અભો…!’‘
ભાઇ…’
બહેનની આંખો વધારે વરસી:
‘તમારો લાડકો દીકરો છે. ભગવાન
એને કરોડ વરહનો કરે વીરા!’
‘તોય ઇ તારો ગણી લે બાપા!’
મેપાએ ગૌરવથી કહ્યું: ‘હું તને
મારો દીકરો દઇ ચૂકયો…’
‘અરર… મારા વીરા! દીકરો કાંઇ
દેવાય?’
‘સાંભળ્ય બેન!
બોટીદડના દેવાત આહીરે નવઘણ માટે
થઇને દીકરાને વધેર્યો હતો…
જ્યારે હું તો મારો દીકરો હસતો-
રમતો આપું છું…’
મેપાની છાતી ફૂલતી હતી:
‘મેં બીજાં દાન તો ઘણાં કર્યા પણ
દીકરાનું દાન નહોતું કર્યું… આજ
દીકરાનું દાન કરું છું… તું મારા વાઘાને
ખોળામાં લઇ લે બેન!’
‘પણ મેપાભાઇ અમે તો યાચક વરણ!
દાન
દક્ષિણા લેવાનો અમારો અવતાર…
અને તમે તો દાતાર…
દાતારનો દીકરો અમારે
ખોરડે?’‘ઠાકરને ગમ્યું ઇ ખરું બોન,
દીધેલું દાન હવે મેપો મોભ પાછું
નહીં લે…’
આખા પંથકમાં મેપા મોભની દાતારીન
દીકરો મોટો થયો ત્યાં સુધી ત્રાપ
નાણાં અને દાણા મેપા મોભે
પહોંચતાં કર્યા.
વાત
ઉપરથી ત્રણસો વરસનાં ટાણાં પસાર
થઇ ગયાં છે પણ મલકમાં નામ રહ્યું
મેપા મોભનું…!

www.fb.com/AHIRTHENAMEISENOUGH

Friday 12 April 2013

ભીમો ગરાણીયો -શૌર્ય કથા




ભીમો ગરાણીયો -શૌર્ય કથા

~~~આહિરનો આસરો~~~

મચ્છુ નદીને કાંઠે મોરલીધરે આહીરોને વરદાન દીધાં , તે દિવસથી આજ સુધી આહીરોના દીકરા છાબડે – જો એ છાબડું સતનું હોય તો – મોરલીધર બેસતા આવ્યા છે. આહીર તો ધૂળીયું વરણ ; ઘોડે ચડીને ફોજ ભેળો હાલે કે ન હાલે , પણ આયરનો દીકરો ગામને ટીંબે ઊભો રહીને ખરેખર રુડો દેખાય . એવોજ રુડો દેખાણો હતો એક ગરાણીયો ; આજથી દોઢસો વરસ ઉપર સાતપડા ગામને ટીંબે , સાતપડાને ચોરે મહેતા-મસુદી અને પગી પસાયતા મૂંઝાઇને બેઠા છે. શું કરવુ એની ગમ પડતી નથી .

પાલીતાણાના દરબાર પ્રતાપસંગજી આજ પોતાના નવા ગામનાંતોરણ બાંધવા આવ્યા છે. ઍટલે ના પણ કેમ પડાય?

“બીજું કાંઈ નહીં,” ઍક આદમી બોલ્યો :” પણ નોખાં નોખાં બે રજવાડાંનાં ગામ અડોઅડ ક્યાંય ભાળ્યાં છે? નત્યનો કિજયો ઘરમાં ગરશે. “

” પણ બીજો ઉપાય શો ! ઍના બાપની જમીન આપણા ગઢના પાયા સુધી પોગે છે ઍની કાંઈ ના પડાય છે? ” બીજાઍ વાંધો બતાવ્યો..

“અરે બાપુકી શું, સાત પેઢીની જૂની જમીન હોય તોય મેલી દેવી જોઈઍ ; ગામ ગામ વચ્ચેના સંપ સાટુ શું પાલીતાણાનો ધણી આટલો લોભ નિહ છોડે?”

“હા જ તો! હજી કાલ સવારની જ વાત ; સધરા જેસંગની મા મીણલદી મલાવ સરોવર ખાંડું થાતું`તું તોય વેશ્યાનું ખોરડું નહોતું પાડ્યું.”

“અને આપણે ક્યાં જમીનના બટકાં ભરવા છે ? ફક્ત ગોંદરા-વા જમીન મેલી દીયે . એટલે બેય ગામ વચ્ચે ગોંદરો કરશું . બિચારા પશુડાં પોરો ખાશે , વટેમાર્ગુ વિસામો લેશે અને વળી કજિયો-કંકાસ નહિ થાય.”

“પણ ઇ સાવજને કોણ કેવા જાય કે તારું મોઢું ગંધાય છે ?”

“મે’તો જાય , બીજું કોણ ?”

લમણે આંગળી મૂકીને બેઠેલા વહીવટદારને શરીરે પરસેવો વળી ગયો . એણે જવાબ દીધો કે “એ મારું કામ નહિ , ભાઇ ! તમે સહુ પસાયતાઓ જઇને મારા નામે દરબારને સમજાવો .” “તો ભલે , હાલો ! ” કહેતા પસાયતા ઊભા થયા ; પાદર જાય ત્યાં પ્રતાપસંગજી ઢોલિયો ઢળાવીને બેઠેલા….. પાલીતાણાનું ખોરડું ગાંડું કહેવાય છે , તેનું સાક્ષાત્ પ્રમાણ દેતી એની વિકરાળ મુખાકૃતિની સામે કોઇ હાલીમવાલી તો મીટ માંડી શકે નહીં એવો તાપ ઝરે છે. બેઠા બેઠા દરબાર જરીફોને હાકલ કરે છે , “હાં ! ભરતર કરીને નાખો ખૂંટ . અને પછી પાયો દોરી લ્યો ઝટ .”

“બાપુ , રામ રામ ! ” કહીને નીચા વળી સલામ કરતા પસાયતા ઊભા રહ્યા .

“કેમ શું છે ?” પ્રતાપસંગજીએ તોરમાં પૂછ્યું .

“બાપ , વહીવટદારે કહેવરાવેલું છે કે જમીન તમારી સાચી , પણ નત્યનો કજિયો નો થાય માટે ગોંદરા-વા જમીન મેલી……”

“મેલી દઉં , એમ ને ?” પ્રતાપસંગજીનો પિત્તો ફાટી ગયો , “લીલાંછમ માથાંના ખાતર ભર્યા છે , એ જમીન મેલી દઉં , ખરું કે ? જમીનનાં મૂલ ઇ શું જાણે ? જાઓ ઘરભેળા થઇ જાઓ . કહેજો એને કે સીમાળે સરપ ચિરાણો’તો , કાછડા ! “

ઝાંખાઝપટ મોં લઇ પસાયતાપાછા ફર્યા . ચોરે જઇ વહીવટદારને વાત કરી . બધા ચોરે સૂનસાન થઇને બેઠા . ભાવનગર આઘું રહી ગયું , એટલે ત્યાં સમાચાર પહોંચતા પહેલાં તો પ્રતાપસંગજી પાયા રોપી દેશે . સહુના શ્વાસ ઊંચા ચડી ગયાં છે .

“પણ તમે આટલા બધા કાંપો છો સીદને ? પ્રતાપસંગજી શું સાવઝ – દીપડો છે ? માણસ જેવું માણસ છે . આપણે જઇને ઊભા રહીએ , ફરી સમજાવીએ , ન માને તો પાણીના કળશો ભરીને આડા ઊભા રહીએ . આમ રોયે શું વળશે ?’

સહુની નજર આ વેણ બોલનાર માથે ઠેરાઇ . આછા-પાંખા કાતરા ; એકવડિયું ડિલ , ફાટલતૂટલ લૂગડાં , ખભે ચોફાળનું ઓસાડિયું નાકેલું , કાખમાં તરવાર હાથમાં હોકો , ચોરાની પડસાળની કોરે સહુથી આઘેરો એ આદમી બેઠો છે .

“ત્યારે , ભીમા ગરણિયા ,” માણસોએ કહ્યું ; “તમે અમારી હારે આવશો ?

“ભલે , એમાં શું ? તમે કહેતા હો તો હું બોલું .”

“જે ઠાકર” કરીને સહુ ઊપડ્યા . મોખરે ભીમો ગરણિયો હાલ્યો . સડેડાટ ધીરે પગલે સીધો પહોંચ્યો , પ્રતાપસંગજીને ગોઠણે હાથ નમાવી બાલ્યો , “બાપુ , રામ રામ !”

“રામ રામ ! કોણ છો ?” દરબાર આ આયરના વહરા વેશ જોઇ રહ્યા , મોં આડો રૂમાલ રાખીને હસવું ખાલ્યું ,

“છઉં તો આયર .”

“ખાખરો રૂંઢ ને આયર મૂંઢ !” દરબારે મશ્કરી કરી ; ” બોલો આયરભાઇ , શો હુકમ છે ?”

“બાપુ , હુકમ અમારા ગરીબના તે શીયા હોય ! હું તો આપને વીનવવા આવ્યો છું કે ગોંદરા-વા મારગ છોડીને ગામનો પાયો નખાય તો સહુના પ્રભુ રાજી રે !”

“આયરભાઇ !” પ્રતાપસંગજીનું તાળવું તૂટું તૂટું થૈ રહ્યું , “તમે ભાવનગરના કારભારી લાગો છો !”

“ના , બાપ ! હું તો પસાયતોય નથી ,”

“ત્યારે ?”

“હું તો મુસાફર છું . અસૂર થયું છે ને રાત રિયો છું .”

“તો આબરૂ સોતા પાછા ફરી જાવ !”

“આમારે આયરને આબરૂ શી , બાપ ? હું તો એમ કહું છું કે ભાવનગર અને પાલીતાણું બેય એક છોડવાની બે ડાળ્યુ ; એકજ ખોરડું કહેવાય , ગંગાજલિયું ગોહિલ કુળ બેયનું એક જ , અને એક બાપના બેય દીકરા આવી માલ વગરની વાતમાં બાધી પડે એવું કજિયાનું ઝાડ કાં વાવો ? “

“હવે ભાઇ , રસ્તો લે ને ! ભલે ભાવનગરનો ધણી મને ફાંસીએ લટકાવે “

“અરે બાપ !”જેમ જેમ ઠાકોર તપતા જાય છે તેમ તેમ ગરણિયો ટાઢો રહીને ડામ દેતો જાય છે “શેત્રુંજાના બાદશાહ ! એમ ન હોય . હેડાહેડાનિયું આટકે ત્યારે અગ્નિ ઝરે ; વજ્જરે વજ્જર ભટકાય તે વખતે પછી દાવાનળ ઉપડે . “

“આયરડા !” પ્રતાપસંગની આંખમાંથી તણખા ઝર્યા .

“બાપુ , તમારે આવું તોછડું પેટ ન જોવે , અને ભાવનગર-પાલીતાણા બાખડે -”

“તે ટાણે તને વષ્ટિ કરવા બોલાવશું “

“એ ટાણે તેડાવ્યાનું વેળુ નહિ રહે . ભેંસ્યું જે ઘડીએ માંદણામાં પડે તે ઘડીએ ડેડકાં બિચારા ઓવાળે ચડે , બાપુ ! ઇ ટાણે વષ્ટિનો વખત ન રહે .પછી તો જેના ઘરમાથી ઝાઝાં નળિયા -”

“તો પછી તું અમારાં નળિયાં ઉતરાવી લેજે .”

“હું તો અસૂર થયું છે તે રાત રિયો છું . પણ ,બાપુ , રે’વા દ્યો .”

“નીકર ! તું શું બંધ કરાવીશ ?”

“ઇ યે થાય !”

“એ – મ !” પ્રતાપસંગજીએ જરીફોને હાકલ દીધી , “નાખો ખૂંટ ,ગધેડીઓ ખોદો , આયરડો આવ્યો બંધ કરાવવા !”

ઠાકોરની હાકલ સાંભળીને જરીફો ડગલું માંડે તે પહેલાં તો ભીમાના મ્યાનમાંથી તરવાર ખેંચાણી . ઉઘાડી તરવાર લઇને ભીમો આડો ઊભો અને જરીફોને કહ્યું , “જોજો હોં , ટોચો પડ્યો કે કાંડાં ખડ્યાં સમજજો !”

ઘડી પહેલાંનો પામર આદમી ઘડી એકમાં બદલાયો ને બદલાતાં તો તાડ જેવડો થયો . જરીફોના પગ જાણે ઝલાઇ ગયા ,

ઠાકોરની આંખમાં પોતાની નજર પરોવીને પડકાર્યું , “ત્યાં જ બેઠા રે જો , દરબાર ! નીકર ઓખાત બગડી જશે . હું તો આયરડો છું . મરીશ તો ચપટી ધૂળ ભીંજાશે . પણ જો તમારા ગળાને એક કાળકા લબરકો લેશે ને , તો લાખ ત્રાંસળીયુ ખડખડી પડશે . શેત્રુંજાના ધણી ! આ સગી નહિ થાય “

પ્રતાપસંગજીએ આજ જીવતરમાં પહેલી જ વાર સાચા રંગમાં આવેલા પુરુષને દીઠો . સોળ કળાના હતા , પણ એક કળાના થઇ ગયા . આંખોની પાંપણો ધરતી ખોતરવા મંડી .

ત્યાં તો ફરી વાર ભીમો બોલ્યો , “અમારું માથું તો ઘરધણી માણસનું , દરબાર ! ચાળીને બોકડો મર્યો તોય શું ? પણ સંભાળજો . હાલ્યા છો કે હમણાં ઉતારી લઇશ માથું .”

ભૂવો ધૂણતો હોય એમ ભીમાનું ડીલ ધ્રુજી ઊઠ્યું . માણસોએ ભીમાને ઝાલી લીધો . પ્રતાપસંગજી ઊઠીને હાલી નીકળ્યા , બીજે દિવસે ભળકડે ઊઠીને પાલીતાણે પહોચી ગયા .

આ બાજુથી સાતપડાના વહીવટદારે મહારાજ વજેસંગને માથે કાગળ લખ્યો કે આવી રીતે ભીમા ગરણિયા નામના એક આયરે ભાવનગરની આબરૂ રાખી છે . એવી તમામ વિગતવાળો કાગળિયો બીડીને એક અસવારને બીડા સાથે ભાવનગર તરફ વહેતો કરી દીધો અને ગામડે ગામડે ભીમા ગરણિયાની કીર્તિનો ડંકો વાગ્યો .

“દરબાર કેમ દેખાતા નથી ?”

“મામા , એ તો ત્રણ દીથી મેડી માથે જ બેઠા છે , બા’રા નીકળતા જ નથી .”

“માંદા છે ?”

“ના , મામા , કાયા તો રાતીરાણ્ય જેવી છે .”

“ત્યારે ?”

“ઇ તો રામધણી જાણે . પણ સાતપડેથી આવ્યા તે દીથી તેલમાં માખી બૂડી છે . વાતું થાય છે કે કોઇક આયરે બાપુને ભોંઠામણ દીધું .”

“ઠીક , ખબર આપો દરબારને , મારે મળવું છે .”

એનું નામ હતું વાળા શામળો ભા . દાઠા તરફના એ દરબાર હતા .પાલીતાણા ઠાકોર પ્રતાપસંગજીના એ સાળા થતા હતાં . એના ભુજબળની ખ્યાતિ આખી સરવૈયાવાડમાં પથરાઇ ગઇ હતી . મેડી ઉપર જઇને એણે દરબારને હિંમત દીધી , “શેત્રુંજાના ધણી કચારીએ કસુંબા પીવા ન આવે એ રૂડું ન દેખાય , દરબાર ! અને , એમાં ભોંઠામણ શું છે ?”

“પણ , વાળા ઠાકોર , માળો એક આયર નરપલાઇ કરી ગયો !”

“અરે , સાંજે એના કાતર્યામાં ધૂળ ભરશું , આયરડું શું—”

“રંગ , વાળા ઠાકોર !” કહેતાં દરબારને સ્ફૂર્તિ આવી .

પણ તરત પાછો ગરણિયો નજરે તરવા માંડયો , અને બોલ્યા , “પણ વાળા ઠાકોર ! સાતપડે જાવા જેવું નથી , હો ! આયર બડો કોબાડ માણસ છે , બહુ વસમો છે .”

“હવે દોઠા જેટલો છે ને ?”

“અરે , રંગ ! વાળા ઠાકોર ! પણ વાળા ઠાકોર , ઇ તરવાર લ્યે છે ત્યારે તાડ જેવો લાગે છે હોં ! જાળવો તો ઠીક “

તાડ જેવડો છે કે કાંઇ નાનોમોટો , એ હું હમણા માપી આવું છું . દરબાર , તમતમારે લહેરથી કસુંબો પીઓ , બાકી એમ રોયે રાજ નહિ થાય .”

દોઢસો અસવારે શામળો ભા સાતપડાને માથે ચડ્યા . ઢોર વાંભવાની વેળા થઇ ત્યારે સીમમાં આવી ઊભા રહ્યા .

ગોવાળને હાકલ દીધી , “એલા ! આયડું ! ક્યા ગામનો માલ છે ?”

“બાપુ , સાતપડાનો “

“હાંક્ય મોઢા આગળ , નીકર ભાલે પરોવી લઉં છું “

“એ હાંકું છું ,બાપા ! હું તો તમારો વાછરવેલિયો કે’વાઉં “એમ કહીને ગોવાળે ગાયો ભેંસો ઘોળીને પાલીતાણાને માર્ગે ચડાવી . મોખરે માલ ને વાંસે શામળા ભાની સેના .

ધ્રસાંગ ! ધ્રસાંગ ! ધ્રસાંગ ! સાતપડે ઢોલ થયો . પાલીતાણાની વાર સાતપડાનાં ધણ તગડી જાય છે , એમ વાવડ પહોંચ્યા , પણ આયરો બધા જોઇ રહ્યા કે દોઢસો અસવાર ભાલે આભ ઉપાડતા , તરવારો બાંધીને હાલ્યા જાય છે . એને જેતાશે શી રીતે ! સહુનાં મોં ઝાંખાંઝપટ થઇ ગયાં .

ત્યાં તો ભીમાની ઘરવાળી આયરાણી બહાર નીકળી . ચોરે જઇને છૂટે ચોટલે એણે ચસકો કર્યો , “અરે આયરુ ! એ પસાયતાઓ ! કોઇ વાસ નહિ રાખે હો ! અને આજ ગરાણિયો ગામતરે ગયો છે તે ટાણે ભૂંડા દેખાવું છે ?”

એમ વાત થાય છે ત્યાં તો ભીમો ગરાણિયો ગામતરેથી હાલ્યો આવતો દેખાણો .

ઝાંપામાં આવતાં જ એણે પૂછ્યું “શો ગોકીરો છે , ભાઇ ?”

“ભીમભાઇ , દુશ્મનો ફેરો કરી ગયા .”

“કોણ ?”

“પાલીતાણાના દરબારનો સાળો .”

સાંભળતાં જ ભીમાનાં રૂંવાડાં અવળાં થઇ ગયાં . હાકલ કરી કે “એલા આયરો , ઊભા થાઓ , નીકર કોઇ વાસ નહિ રાખે “

“અને આયરાણી ! મારી સાંગ લાવ્ય .”

પાણીની તરસે ગળે કાંચકી બાઝી ગઇ હતી . પણ ભીમે પાણી ન માગ્યું , સાંગ માગી ,ઘોડાનું પલાણ ન છાંડ્યું . આયરાણીએ દોટ દીધી , ધણીની દેલિયા સાંગ પડેલી તે આપી . સીમાડે મલ દેખાણો .

શામળા ભાએ તો ત્રીજી પાંસળીએ તરવાર બાંધેલી , કમાળ જેવડી ઢાલ ગળામાં લીધેલી , ને માથે મલોખાં ગોઠવીને ફગ પહેરેલી , વાંસે જોયું તો એક અસવાર વહ્યો આવે છે .

“અરે , એક અસવાર બાપડો શું કરતો તો ?” એમ વિચારીને થોભા માથે હાથ નાખે છે ત્યાં ભીમો આવ્યો .

હરણ ખોડાં કરી દે એવી ઘોડીના ડાબા ગાજ્યા , હાથમાં ગણણ…ગણણ…ગણણ સાંગ ફરતી આવે છે .

આવતાં જ હાકલ કરી “ક્યાં છે દરબારનો સાળો ?” હાકલ સાંભળતાં અસવારો ઓઝપાણા .

ઘડીમાં તો ભીમાએ ફોજ વચ્ચે ઘોડો ઝંપલાવ્યો , પાડો પાડાને કાઢે એમ એણે ભાના ઘોડાને બહાર કાઢી પાટીએ ચડાવ્યો .

લગાફગ….લગાફગ….લગાફગ કરતા ભા ભાગ્યાઃ દોઢસો ઉજ્જડ મોઢાં ઊભાં રહ્યા

. ફરડક–હું , ફરડ ! ફરડક–હું , ફરડ ! ફરડક–હું , ફરડ ! એમ ફરકારા બોલાવતા ભા ના ઘોડાને પોણોક ગાઉને માથે કાઢી જઇને પછી લગોલગ થઇ ભીમાએ સાંગ તોળી .

બોલ્યો “જો , મારું તો આટલી વાર લાગે , પણ મને અને ભાવનગરને ખોટ્ય બેસેઃ તું પાલીતાણા -કુવરનો મામો કે વા! પણ જો ! આ તો નહિ મેલું “

એમ કહી ભીમાએ સાંગ લાંબી કરી શામળા ભાને માથેથી ફગ ઉતારી લીધી . અણીમાં પરોવાયેલી ફગ લઇને આયર પાછો વળ્યો . દોડસો અસવારોની ગાંઠ પડી ગઇ છે , પણ કોઇએ તેને છંછેડ્યો નહિ .

શામળો ભા તોપાટીએ ચડી ગયા ,તે ઠેઠ ડુંગરામાં દરશાણા .

એક કહે “અરે , બાપાની ફગ ઉપાડી લીધી .”

બીજો કહે “ઇ તો માથાનો મેલ ગયો .”

ત્રીજો કહે “ઇ તો મોરલીધર બાપાને છાબડે આવ્યા , ફગ ગઇ તો ઘોળી . માથાનો મેલ ઊતર્યો , બાપા ! વાંધો નહિ . કેડ્યેથી ફાળિયું છોડીને ફેંટો બાંધી લ્યો .”

દીવે વાટ્યો ચડી ત્યારે શામળો ભા પાલીતાણામાં દાખલ થયા .

પ્રતાપસંગજીનજર કરે ત્યાં લમણાં ઉજ્જડ દીસ્યાં .માં પર વિભૂતિનો છાંટોયે ન મળે .

ભાએ સલામ કરી .

“ગરાસિયાના પેટનો છો ?” દરબારે કહ્યું , “મે નો તો ચેતવ્યો ?”

“માળો……આયરડો ત્રણ તાડ જેવડો થાય છે ! કાઠામાં સમાતો નથી !” ભા ની જીભના લોચા વળવા લાગ્યા .

“ન થાય ? અમથો હું હાલ્યો આવ્યો હોઇશ ? જાવ , મને મોઢું દેખાળશો મા “

શામળો ભા પાટીએ ચડી ગયા . તે દિવસથી એવા તો અબોલા રહ્યા કે પ્રતાપસંગજીના મોતને ટાણે પણ એનાથી અવાયું નહોતું

. પતંગિયા જેવો ભીમો ફગ લઇને સીમાડેથી પાછો વળ્યો . વાંસે ધણ ચાલ્યું આવે છે .

ગામ લોકોએ લલકાર કર્યો , “રંગ ભીમા ! રંગ ગરણિયા !”
જય મુરલીધર………………………….

Source: fb.com/photo.php?fbid=516500731745842

Tuesday 8 January 2013

Asirgarh Fort in Burhanpur built by King Asa Ahir


Asirgarh Fort in Burhanpur District in Madhya Pradesh, India

21.47°N 76.29°E

Asirgarh Fort, built by King Asa Ahir inMadhya Pradesh

from Wikipedia

About AHIR


The Ahir are a caste of cowherds, milkers, and cattle breeders widely dispersed across the Gangetic Plain, especially in the more easternly part (Bihar, Bengal, and eastern Madhya Pradesh). The Ahir must number well over a million today: they numbered 750,000 in the Central Provinces and Berar in 1911, ranking as the sixth-largest caste in terms of numbers. In many castes there is a separate division of Ahirs, such as the Ahir Sunars, Sutars, Lohars, Shimpis, Salic, Guraos, and Kolis. The name "Ahir" is derived from "Abhira," a tribe mentioned several times in inscriptions and the Hindu sacred books. "Goala," meaning a cowherd or "a protector of cows," is the Bengali name for the caste, and the term "Gaoli" is now used in Madhya Pradesh State to signify a dairy worker.
Some dialects named after the Abhira or Ahirs are still spoken. One, known as Ahirwati, is spoken in the Rohtals and Gurgaon districts, the Punjab, and near Delhi. The Malwi dialect of Rajasthani is also known as Ahiri; there is a dialect of Gujarati called Khandeshi, also known as Ahirani. These linguistic survivals are an indication that the Ahirs were early settlers in the Delhi country of the Punjab, and in Malwa and Khandesh.
The Ahir were apparently one of the immigrant tribes from central Asia who entered India during the early Christian era. The Ahir have been for centuries a purely occupational caste, mainly recruited from the indigenous tribes. As cattle must graze in the forest during hot weather, there is a close relationship between Ahirs and many of the forest tribes. Many Ahir in Mandla, for example, are barely considered Hindus, because they live in Gond villages (a forest tribe).
Only about 30 percent of the Ahirs are still occupied in breeding cattle and dealing in milk and butter. About 4 percent are domestic servants, and nearly all the remainder were cultivators and laborers in 1931. Formerly the Ahirs had the exclusive right to milk cows, so that on all occasions an Ahir had to be hired for this purpose even by the lowest caste.
The caste has exogamous sections, which are of the usual low-caste type, with titular or totemistic names. The marriage of persons belonging to the same section and of first cousins is prohibited. A man may marry his wife's younger sister while his wife is living. The practice of exchanging girls between families is permissible.
The Ahir have a special relation to the Hindu religion, owing to their association with the sacred cow, which is itself revered as a goddess. Among the special deities of the Ahirs is Kharsk Deo, who is always located at the place of assembly of the cattle. Mater Deo is the god of the pen. A favorite saint is Haridas Baba. The main festival is the Diwali, falling about the beginning of November. All people observe this feast by illuminating their houses with many small saucer-lamps and with fireworks.
Yadavs are direct Decendent on Lord Krishna..Main occoupation in old India was Cattle Breed and selling milk products ..Ahir now days are considered in Other backward caste put in latest listso that they can come up with education and different business as many as 60% of Ahirs still breed catle and along with other things like farming or other business..Ahirs are very Godfearing.. and are know to be fearless and hence were called Abhir in ancient india
Read more: everyculture.com/South Asia/Ahir

Saturday 5 January 2013

X-Steel - Wait